॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

લોયા-૧૨: છ પ્રકારના નિશ્ચયનું, સવિકલ્પ-નિર્વિકલ્પ નિશ્ચયનું

નિરૂપણ

કોઈકે પ્રશ્ન પૂછ્યો, “ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કેમ દૃઢ થતો નથી?”

યોગીજી મહારાજ કહે, “સંતસ્વામી ઉત્તર કરશે.”

સંતસ્વામી કહે, “દેશકાળ સારા હોય ને ઉત્તમ અનુભવી વક્તા હોય ને ઉત્કૃષ્ટ શ્રદ્ધાવાળો જીવ હોય તો દેહ છતાં જ થઈ જાય.”

ત્યારે યોગીજી મહારાજ કહે, “યથાર્થ ઉત્તર થયો, પણ તેનું રહસ્ય શું સમજ્યા? તે કહો.” પછી પોતે જ બોલ્યા, “શાસ્ત્રીજી મહારાજ જેવા પુરુષ મળ્યા ને જાણ્યા તે તો સમજાયું; પણ તેમને મન સોંપાયું નહીં તેથી મોટો અંતરાય રહી ગયો ને કસર રહી જાય છે. માટે સમ્યક્ પ્રકારે જો ગુરુચરણે મન સોંપાય, તો મોટાપુરુષ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય દૃઢ કરાવી દે તેમાં શંકા નથી. પછી તેને અખંડ કેફ વર્તે; શાંતિ, સુખ ને આનંદના જ ફુવારા ઊડે; ને પ્રકૃતિપુરુષ સુધીનું કાર્ય નમાલું બની જાય, તે સામી દૃષ્ટિય ન કરે, તેવા કરી દે. મન ન સોંપે તો સ્થિતિ ક્યાંથી થાય. માટે મોટા પાસેથી આ ઉત્તમ વાત દૃઢ કરી લેવાની છે. આ જ્ઞાનમાર્ગ એટલે સંતને વચને જ પ્રવૃત્તિ કરવાની ને જાણપણું રાખી વર્તવું, એ અઘરું છે. તો ખબરદાર થઈ મંડી પડવું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૩૯]

Someone asked, “Why can we not make the highest level of nirvikalp faith firm?”

Yogiji Mahārāj replied, “Sant Swāmi will provide the answer.”

Sant Swāmi explained, “If circumstances are favorable, if the speaker is highly experienced, and the jiva possesses outstanding faith, then it can be achieved in this very birth.”

Yogiji Mahārāj then said, “That is the correct answer, but did you understand the underlying meaning? Explain that.”

Then he himself said, “It is clear that we met a Purush like Shāstriji Mahārāj and know him; but one has not surrendered his mind, so he has distanced himself and has deficiency remain. Therefore, if one can totally surrender their minds at the feet of the guru, then the Motā-Purush can make firm the highest level of nirvikalp faith in him. There is no doubt in that.

“Then he forever behaves enthusiastically; only fountains of peace, happiness and joy would flow; and all of creation up to Prakruti-Purush would become insignificant, such that his attention is not drawn towards it. Motā-Purush can make you like that. If one does not surrender one’s mind, then how can one attain such a state? Therefore, we need to make this principle firm from the Motā-Purush. This path of knowledge entails that we engage in activity according to his commands and behave with awareness. This is difficult. We should carry on with determination.”

[Brahmaswarup Yogiji Mahārāj: 3/539]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase